અંજાર તાલુકાનો ઇતિહાસ

કચ્છના ઇતીહાસમા અંજાર તાલુકાઍ વિશિસ્ટ ભાગ ભજવ્યો છે. આમ તો અંજાર સહેર કચ્છનુ બાર તેર સઈકા જૂનુ સહેર છે.આવશ્રેપરંતુ રાવશ્રી ખેગારજી પેહેલાઍ કચ્છના સહેરમા સૌ પ્રથમ સવત ૧૬૦૨ના માગસર વદ૮ અને રવિવારે સ્વહસ્તે તોરણ બાંધેલ. આ અતીહશિક દિવસની યાદ રૂપે અંજાર સહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવેછે.
કચ્છ શહેરમાનો આલમપના હતો ગઢ પણ સૌ પ્રથમ સ્વન્ત ૧૭૭૫ મહારાવશ્રી દેશડજી પહેલાઍ બન્ધાવ્યો હતો. સહેરના ફરતે ગઢ હતો,અને અને સહેરમા પ્રવેસ્વા માટે પાંચ નાકા હતા (૧) ગંગાનાકુ(૨)સવાસર નાકુ(૩) સૉરથીયાનાકુ(૪)વર્શામેદીનાકું.(૫)દેવદિયા નાકુ વસ્તી વધારાના કારણે ગઢની દીવાલો અવસેશ રૂપે બચી છે.તેન્યા નગરપતીશ્રી ના વર્ધહસ્તે ગઢની દીવાલનું સાશ્ત્રોક્ત વિધિથી પૂંજન કરી તોરણ બાંધી સથાપના દિનનો શુંભપ્રારભ કરવામાં આવેછે, તેમજ અજેપાળ દાદાના મંદિરે પણ પૂજા કરવામાં નેવેધ ધરાવાય છે, અને દિવસભર વિવિધ કાર્યક્રમો દવારા આનંધ સાથે સથાપના દિનની ઉજવણી થાય છે.કરછના ઇતિહાસમાં અંજાર સહેરના યુવાનો પંણ ભાગ ભજવ્યો છે.રાવ રાયઘણ બીજાના સમયે (સવંત ૧૮૩૫-૭૦) ધર્મવંટોળને કારણે અંધાધૂધી પેદા થઈ ત્યારે ભુજના આગેવાન રાજગોર ઓધવજી હરભાઈ કેદકર્યા.સવંત ૧૮૪૦ માં માંડવી શહેરમાં મંદિરની મૂર્તિઓનું ખંડન કરવા માંડયું ત્યારે વાઘા પારેખ નો ભાઈ કારા પારેખ અંજારના ૪૦૦ યુવાનો સાથે ભુજ દરબારગઢમાં પહોચ્યા હતા,ત્યાં ધીન્ગાના માં કારા પારેખ,વાઘા પારેખ અને ૪૦૦ યુવાનો મરણ ને શરણ થયા હતા. તે સમય કરછમાં રાજ્ય પલટા માટે આ તાલુકાના વિરોએ કુરબાની આપી હતી
કરછના મહારાવશ્રી રાંયધણજીયે રાજ્યસ્તાની મર્યાદા ઓળંગીને ધાર્મિક અંધાધૂધી કરી રયા હતા ત્યારે તેને પડકારનાર અને મહારાવને કેદ કરી બાર ભાયા રાજ્ય સ્થાપનાર જવાંમર્દ આગેવાન અંજારના મેગજી સેઠ હતા.આજે ભુજમાં વાણીયાવાડ નાકા બહાર શ્રી મેગજી સેઠની ડેરીના નામે ઓળખાતું સમારક જોવા મળે છે. .
 અંજાર પરાચીન સમયમાં અંજાડવાસ નામથીઓળખાતું હતું. અંજારના પાદરે અજેપદ્દાદા સહીદ થતા તેમના નામ ઉપરથી ગામનુંનામ અંજાર પડ્યું હોવાનું એક મત છે. તો અંજાર જેના માટે ગોંરવ લઈ સકે એવા ગુજરાતના વિખ્યાત ઇતિહાસકાર શ્રી સ્વ.ઠાકરશીભાઈ પી.કંસારાના મતે અંજારની ચોમેર પડેલા અખૂટ જળભંડાર હોવાથી સંખ્યાબંધ વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ પેદાસ ઉપજતી.આમ આ સહેર અનાજનું વેપાર કેન્દ્રું તથા અનાજનો કોઠાર ગણાતું તેથી આ તેથી આ સબ્થ ‘અન્ન્જાર’ ઉપરથી ‘અંજાર’ નામ પાચળથી પડ્યું હશે
અજેપાળજીના મંદિરેથી થોડે દુર ગુજરાતભરમાં પ્રસિદ્ધ ‘જેસલ-તોરલ’ ની સમાધિ આવેલી છે.જેસો બહારવટિયા તરીકે પ્રસિદ્ધ જાડેજા સતી તોરલ સાથે સપર્કમાં આવતા અને રધ્ય પરિવર્તન થતા ભક્તિના રંગમાં રંગાઈ જતા જીવતે સમાધિ લીધી.દર વર્ષે ચેત્ર સુધ ચૌદસ અને પુનમના અહી મેળો ભરાય છે.
.અંજારમાં વિખ્યાત જેસલ તોરલની સમાધિ અને અજેપાળજીદાદાનું સ્થાનક ઉપરાંત અબાજી માતાજીનું મંદિર,સગ્રશાપીરનો ઢોલીયો વેલ,ગયત્રીમાંતાજીનો મંદિર,ચામુંડામાંતાજીનો મંદિર,વાંકલમાંતાજીનો મંદિર,મહાલક્ષ્મીજી નું મંદિર,શીતલામાંતાજીનો મંદિર,બહુચરમાંતાજીનો મંદિર,સ્વામીનારાયણનું મંદિર,ચારજઈન દેરાસરો,અબ્દ્રેમાંન્સા બાપુની દરગાહ અને મસ્જીદો વગેરે આવેલા છે.

2 comments on “અંજાર તાલુકાનો ઇતિહાસ

  • અંજારનું ઇતિહાસ વાચવાની મજા આવી કચ્છના હોવા છતાં આટલી મહિતી ન હતી જે આ વેબસાઈટ જોવાથી ખ્યાલ આવેલ છે

    બનાવનાર સૌનો અભાર

    ખીમજી કાંઠેચા
    કબરાઉ સેતુ

  • Leave a Reply

    Fill in your details below or click an icon to log in:

    WordPress.com Logo

    You are commenting using your WordPress.com account. Log Out /  Change )

    Facebook photo

    You are commenting using your Facebook account. Log Out /  Change )

    Connecting to %s

    %d bloggers like this: